પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે અંગદાનનો સંકલ્પ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતાના શરીરના 14 અંગો અને પેશીઓનું દાન કરવાની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું છે કે આ સંકલ્પથી જરૂરિયાતમંદ દર્દીઓને આશા મળે તેવો ઉદ્દેશ છે અને અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ છે.
કયા અંગો અને પેશીઓનું દાન?
રેખા ગુપ્તાએ જણાવ્યું કે તેઓ હૃદય, આંતરડું, અગ્નાશય, લિવર, કિડની, ફેફસાં, હાથ અને આંખોની કોર્નિયા દાન કરશે. તેમણે જણાવ્યુ કે તેઓ નીચેની પેશીઓનું પણ દાન કરશે: હાડકાં, હાર્ટ વાલ્વ, ત્વચા, કાર્ટિલેજ, લિગામેન્ટ, ટેન્ડન, રક્તવાહિનીઓ.
અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ
મુખ્યમંત્રીના આ નિર્ણયને અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. સમાજમાં અંગદાનને લગતા ગેરસમજો અને ભ્રમ દૂર કરવા માટે અને વધુ લોકો અંગદાન માટે આગળ આવે તેવી અપેક્ષા વ્યકત કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી કાર્યાલયનો સંદેશ
મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું છે કે જનસેવા અને પરોપકાર રાષ્ટ્રસેવાનાં મહત્વપૂર્ણ માધ્યમ છે અને અંગદાનનું આ સંકલ્પ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.