હમારા સંવિધાન કાવ્ય વિસનગરના કાદરભાઈ મનસુરી દ્વારા રચાયેલી એ રાષ્ટ્રસાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરીની ઉજવણી છે. હિન્દી સાહિત્ય મંચ ‘હમારી વાણી’ અને સારા સચ મીડિયા, ન્યુ દિલ્હીના સમર્થન સાથે ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ઓનલાઇન હિન્દી સાહિત્ય સ્પર્ધામાં કાદરભાઈ મનસુરીની ‘હમારા સંવિધાન’ કવિતા ટોપટેનમાં ચોથા ક્રમે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહી.
હમારા સંવિધાન – રાષ્ટ્રીય કક્ષાની હિન્દી કાવ્ય સ્પર્ધામાં મહત્વપૂર્ણ જીત
આ સ્પર્ધામાં દેશભક્તિ અને સમાજસેવા પર આધારીત વિવિધ વિધાઓના કવિ અને લેખકો દેશના વિવિધ કાંઠાઓથી ભાગ લીધો હતો. દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, ત્રિપુરા, ઝારખંડ તથા છત્તીસગઢ જેવા રાજ્યોના પ્રતિભાઓએ તેમની શ્રેષ્ઠ કૃતિઓ રજૂ કરી હતી. આ પર્દર્ષનથી સ્પષ્ટ થયું કે કાદરભાઈ મનસુરીની રચના ‘હમારા સંવિધાન’ એ રાષ્ટ્રીય સમજદારી અને ભાવનાત્મકતાના સ્તરે એક મોહક સ્થાન હાંસલ કરી છે.
નવી દિલ્હી ખાતે શિવનગરની સુફ કશીદાકારીને રાષ્ટ્રીય સ્તરે મળ્યું વડાપ્રધાનનું વિશેષ સન્માન

વિસનગરમાં, તા. 25 ઓગસ્ટ 2026ના રોજ, કાદરભાઈ મનસુરીને રાજુભાઈ પટેલ (આર.કે.) ના વરદ્હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિજેતા પ્રમાણપત્ર તેમને પાઠવાઈ અને તેમની રચનાને વખાણવામાં આવી. કાદરભાઈ મનસુરીએ તેમની પ્રયત્નો માટે મળેલ આ માન્યતા માટે પોતાનો આભાર વ્યક્ત કર્યો અને સાથે જ ‘હમારા સંવિધાન’ કાવ્ય રાજુભાઈ પટેલને ભેટ કરી આ પ્રસંગને વધુ ખાસ બનાવી દીધું.
સુરતમાં ફિશ માર્કેટનું નામ ‘નરેન્દ્ર મોદી’ રાખવાને લઈ વિવાદ, બેનર ઢાંકી દેવાયું
રાજુભાઈ પટેલે કાદરભાઈ મનસુરીને અભિનંદન આપતા જણાવ્યું કે આ સિદ્ધિ આપણ સમુદાય માટે ગૌરવનો વિષય છે અને આવી ઉત્કૃષ્ટ પ્રતિભા સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાવશે. તેઓએ કહ્યું કે આવા યશસ્વી કાર્યો દ્વારા ભાવિ પેઢીને પ્રેરણા મળે છે અને ભારતીય સાહિત્યમાં તેમનું યોગદાન અનમોલ છે.

ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધા દ્વારા વિવધ રાજ્યોના કવિઓ અને લેખકોને તેમના લખાણોને રાષ્ટ્રીય મંચ પર રજૂ કરવાની અનોખી તક મળી અને તેમને દેશભક્તિ તથા સામાજિક મુદ્દાઓને સાહિત્ય દ્વારા પ્રગટાવવાનો અવસર મળ્યો.
નાના ચિલોડામાં AMCના નામનો દુરુપયોગ કરી ત્રણ દુકાનો તોડી પાડવાનો આરોપ, પોલીસ તપાસ શરૂ
