સામાન્ય વર્ગને આર્થિક રીતે સશકત કરવા અને પગભર કરવા દેશમાં ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમની એક છે પીએમ જન ધન ખાતાની યોજના. આ યોજના અંતર્ગત લોકો ઝીરો બેલેન્સ પર એકાઉન્ટ્સ ખોલી શકે છે.
ચેકબુક, પાસબુક, અકસ્માત વીમા સિવાય સામાન્ય માણસને આ ખાતા પર ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળે છે. ઓવરડ્રાફ્ટ સુવિધા હેઠળ, જન ધન ખાતા ધારક ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તેના ખાતામાંથી 10,000 રૂપિયા સુધી ઉપાડી શકે છે.
1. જન ધન ખાતાનો એક ફાયદો એ છે કે ઝીરો બેલેન્સ ખાતું હોવાને કારણે તેમાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી નથી. એટલે કે, જો તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ નથી, તો પણ તમારે તેના માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.
2.આ ખાતું કોઈપણ બેંકમાં ખોલાવી શકાય છે. સામાન્ય ખાતાઓની જેમ, તમને જન ધન ખાતામાં જમા રકમ પર વ્યાજની સુવિધા પણ મળે છે.
3. આ યોજના હેઠળ ખાતું ખોલવા પર, તમને રુપે એટીએમ કાર્ડની સુવિધા મળે છે. આ સિવાય 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો, 30 હજાર રૂપિયાનું જીવન કવર આપવામાં આવે છે.