ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના દરેક ખેડૂતોને આગામી ખરીફ સિઝન માં વાવેતર માટે બિયારણ ખરીદી વખતે સાવચેતી રાખવાની જણાવવામાં આવ્યું છે. ખરીફ સીઝનમાં ખેડૂતો હાલમાં તારીયારી સાથે બિયારણની ખરીદી કરી રહ્યા છે, અને હાલમાં વાતાવરણ ને ધ્યાનમાં રાખીને આગામી સીઝનમાં પાકનું વાવેતર થશે તેથી ખેડૂતોએ થોડી સાવચેતી રાખીને બીજની ખરીદી કરવી જોઈએ.

ખેડૂતોએ માન્ય લાયસન્સ/અધિકૃત સરકારી સંસ્થાઓ, સરકારી એજન્સીઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી બિયારણ ખરીદવાનો આગ્રહ રાખવો. જોઈએ.

ખરીફ સીઝનના બીજ ખરીદતા પહેલા જાણો આ વાત.

ખેડૂતોએ લાયસન્સ/અધિકૃત સહકારી મંડળીઓ, સરકારી એજન્સીઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ બિયારણ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. બિયારણ ખરીદતી વખતે, ખેડૂતે ડીલર પાસેથી લાયસન્સ નંબર, આખું નામ સરનામું અને લોટ નંબર, મુદત પુરી થતી તારીખ મળે તેવું બીલ અને સહી આવશ્યક લેવી જોઈએ

જે ખરીદેલું બીજનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને સમાપ્તિ તારીખ દર્શાવતું છે. ખાસ કરીને, તપાસો કે બિયારણની થેલી સીલ કરેલી છે અને તે એક્સપાયર તો નથી તે ચેક કરવું.

ખરીફ સીઝન

એકપાયર થયેલ બીજ ક્યારેય ખરીદશો નહીં. કોઈ પણ સંજોગોમાં 4G અને 5G જેવા અલગ-અલગ નામોથી વેચાતા નકલી બિયારણો ખરીદો નહીં, ખાસ કરીને કપાસ બિયારણના પેકેટ અથવા થેલીઓ જે ઉત્પાદકનું ને બિયારણનું નામ, સરનામું અને ગુણવત્તા ધરાવતાં નથી.

જો એવું જણાય કે આવા બિયારણનું વેચાણ થઈ રહ્યું છે, તો તરત જ જિલ્લાના સંબંધિત કૃષિ નિરીક્ષક અથવા નાયબ કૃષિ નિયામક ને જાણ કરો. નાયબ નિયામકશ્રી ખેતીવાડી વિસ્તરણ અધિકારી એ એક રજીસ્ટરમાં જણાવ્યું છે કે ખરીદેલ બિયારણના પેકેટ અને તેના બીલ વાવણી બાદ રાખવા જરૂરી છે.

ખરીફ સીઝન

જો વાવણી બાદ આ બિયારણનો ઉગાવો કે અન્ય કોઈ સમસ્યા આવે તો જે તે બીજ વેચાણ વિક્રેતાનો સંપર્ક કરીને તાપસ કરી શકાય. બીજ એ ખેતી માટે મહત્વનું પાસું છે,

વધુમાં વાંચો :- ટ્રેક્ટર સહાય યોજના 2023: 60,000 ની સહાય ટ્રેકટર ખરીદી પર જલ્દી જ ડોક્યુમેન્ટ સાથે કરો અરજી

કારણ કે જો બીજ સારી ગુણવતાયુક્ત અને ક્વોલિટી વાળું ના હોય તો પુરી ખરીફ સીઝન અને પાકમાં નુકસાન જાય છે, આવા બિયારણના વેચાણને અટકાવવા માટે વિસ્તરણ અધિકારી દ્વારા ચેતવણી આપવામાં આવી છે, તે બાબતે ખેડૂતોએ ખાસ નોંધ લેવી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *