જયા કિશોરીને કોઈ ઓળખાણની જરૂર નથી. જાણીતી કથાકાર અને મોટીવેશનલ સ્પીકર જયા કિશોરી દેશભરમાં લોકપ્રિય છે. તેમના દ્વારા ગાયેલા ભજનો ખૂબ જ પસંદ આવે છે. તો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર તેની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. ઘણીવાર જયા કિશોરી પોતાના કામની સાથે સાથે પોતાના અંગત જીવનને કારણે પણ ચર્ચાનો વિષય બની રહે છે.

jaya kishori

જયા કિશોરી આજના સમયમાં ફક્ત દેશમાં જ નહીં પણ બીજા દેશોમાં પણ જાણીતી વ્યક્તિ બની ગઈ છે. તેમની કથા સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થાય છે. ટીવીની જુદી જુદી ચેનલ પર જયા કિશોરી કથા સંભળાવે છે. તો લોકો પણ જયા કિશોરી વિશે વધુને વધુ જાણવા માટે ખૂબ ઉત્સુક દેખાય છે.

jaya kishori 2

જયા કિશોરી તેના વીડિયોમાં અવારનવાર યુવાનોની સમસ્યાઓ વિશે વાત કરતી અને પોતાના વિચારો મુકતી જોવા મળે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં જયા કિશોરીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જયા કિશોરી લગ્નને લઈને પોતાના વિચારો મુકતી જોઈ શકાય છે. આ વીડિયો લોકોને એટલો પસંદ કરવામાં આવી રહ્યો છે કે લોકો આ વીડિયોને ખૂબ શેર કરતા પણ જોવા મળી રહ્યા છે.

Jaya Kishori 5

જયા કિશોરીએ ખૂબ જ નાની ઉંમરમાં પોતાની અલગ ઓળખ બનાવીને ઘણી ખ્યાતિ મેળવી લીધી છે. તે પોતાની મોટીવેશનલ સ્પીચથી લોકોને જીવવા માટે પ્રેરિત કરતી રહે છે. તે પ્રેરક પ્રસંગોના ઉદાહરણો આપીને સકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર જયા કિશોરીનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

jaya kishori devi 11

વાયરલ થયેલા વીડિયોમાં જયા કિશોરી કહે છે કે લગ્ન એક બહુ મોટી જવાબદારી છે. તે કહે છે કે પણ આજકાલ લોકોએ લગ્નને ટુ ડુ લિસ્ટમાં સામેલ કરી દીધું છે. જયા કિશોરીના આમ કહેવાનો મતલબ એ છે કે લોકો જ્યારે એક ઉંમરે થઈ જાય છે ત્યારે લગ્ન કરી લે છે.

jaya kishori 3

આ પછી જયા કિશોરીએ લગ્નનો અર્થ પણ સમજાવ્યો હતો. તેણે કહ્યું કે લગ્નનો મતલબ તમારે એક માણસ સાથે આગામી 50-60 વર્ષ સુધી એક જ રૂમમાં રહેવાનું છે. જયા કિશોરી કહે છે કે આ વાતને ધ્યાનમાં રાખીને લગ્ન કરવા જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *