આજકાલના સમયમાં આધાર કાર્ડ મહત્વનું દસ્તાવેજ બની ગયુ છે. એવામાં ઘણી વાર એવુ બનતું હોય છે કે ઉતાવળના કારણે આધાર કાર્ડ બનાવતા એજન્ટો આધાર કાર્ડમાં ખોટી માહિતી ટાઇપ કરી નાખતા હોય છે.
જો તમારા આધાર માં કોઈ ભૂલ છે તો તમે ઘર બેઠા કોઈપણ પૈસા ખર્ચ્યા વિના અપડેટ કરી શકો છો.
UIDAI કાર્ડ ધારકના દસ્તાવેજોમાં દરેક અપડેટ માટે 50 રૂપિયાની ફી વસુલ કરે છે. પરંતું UIDAI નવી સ્કીમ ચલાવી રહી છે.જેમાં કાર્ડ ધારકો ફ્રીમાં આધાર અપડેટ કરી શકે છે. આ સ્કીમ 14 જૂન સુધી શરૂ રહેવાની છે.
શું આધાર કાર્ડ માં ભૂલ છે ?
તમે જો કોઈ વખત આધાર અપડેટ કર્યું હશે તો તમે જોયું હશે કે આધાર સેન્ટર વાળા 50 રૂપિયા ફી લેતા હશે. પરંતું હવે આ તમામ કામ ફ્રીમાં થઈ રહ્યા છે. જેથી વહેલી તકે તમારે આ સ્કીમનો લાભ લઇ લેવો જોઈએ.
UIDAI સેવા ફક્ત MyAadhaar પોર્ટલ પર જ ઓનલાઈન મેળવી શકાય છે. કાર્ડ ધારકોએ હજુ પણ આધાર કેન્દ્રો પર દસ્તાવેજો અપડેટ કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ પગલાનો ઉદ્દેશ્ય “જીવનમાં સરળતા, બહેતર સેવા ડિલિવરી” અને “સર્ટિફિકેશન સફળતા દરમાં વધારો” કરવાનો હતો.
આ રીતે મફતમાં આધાર અપડેટ કરો
સૌ પ્રથમ UIDAI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
આ પછી, ‘My Aadhaar’ મેનૂમાં જઈને ‘Update Your Aadhaar’ ઓપ્શન પર ક્લિક કરો.
ત્યારબાદ ‘અપડેટ ડેમોગ્રાફિક ડેટા ઓનલાઈન’ ઓપ્શન ક્લિક કરો.
આધારમાં વિગતો અપડેટ કરવા આગળ વધો અને આધાર નંબર ભરો.
તે પછી કેપ્ચા વેરીફાઈ કરો અને ‘સેન્ડ OTP’ પર ક્લિક કરો.
‘ડેમોગ્રાફિક ડેટા અપડેટ કરો’ ઓપ્શન પર જાઓ અને અપડેટ કરવાની વિગતો પસંદ કરી લો.
આ પછી તમારી નવી વિગતો દાખલ કરો અને સહાયક દસ્તાવેજ પુરાવાની સ્કેન કરેલી નકલ અપલોડ કરો.
વધુમાં વાંચો :- સોનાના ભાવમાં ઘટાડો, 24થી 14 કેરેટ સોનાનો ભાવ જાણીને ખુશ થઈ જશો..
પછી ચકાસો કે દાખલ કરેલી માહિતી સાચી છે કે નહીં. પછી OTP વડે વેરિફિકેશન કરો.
તમારી આધાર અપડેટ કરવાની અરજી પૂર્ણ થઈ જશે અને થોડા દિવસોમાં તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જશે